મોરબી: ભારત રત્ન અને ભારતીય સંવિધાન નિર્માતા ડો.બાબા સાહેબ આંબેડકરના 68માં મહા પરિનિર્વાણ દિવસ નિમિતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તારીખ 6 ડિસેમ્બરના રોજ સાંજના 6:30 મોરબીના નહેરૂ ગેટથી ડો.બાબા સાહેબની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સફેદ વસ્ત્રોમા ઉપસ્થિત રહેવા અનુ.જાતિ સમાજ આગેવાન નાનજીભાઈ સોલંકીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.