ટંકારા નગરના રહેવાસી અને હડમતીયા ગામની પ્રાથમિક શાળામા શિક્ષક તરીકે ફરજ બજાવતા રમુભાઈ ભરવાડના દિકરા જગદીશભાઈ ભરવાડ જે હાલમા વાંકાનેર એસટી ડેપો ખાતે કંડકટરમા ફરજ બજાવે છે.
જેમની ફરજ વાંકાનેર-નલિયા રૂટમાં હતી તે દરમિયાન એક મુસાફર તેનું HP કંપનીનું લેપટોપ અને બેગ બસમાં જ ભુલીને ઉતરી ગયેલ હતો. ત્યારબાદ જગદીશભાઈને તે બેગ મળી આવ્યું હતું. જેથી તેમણે બેગ અને લેપટોપ મુળ માલિકની ખરાઈ કરીને મોરબી ડેપો ખાતે અધિકારીની હાજરીમાં પરત કરીને એક પ્રમાણિકતા દર્શાવી હતી. જેથી રાજકોટ વિભાગના કર્મચારી મહામંડળના પ્રમુખ જયુભા ડી.જાડેજા અને વાંકાનેર એસટી ડેપો પરિવાર તરફથી તેમની પ્રમાણિકતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
