Sunday, August 10, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiનવયુગ કોલેજમાં પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ડૉ. જે. જે. રાવલ સાહેબ નો સેમિનાર યોજાયો

નવયુગ કોલેજમાં પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ડૉ. જે. જે. રાવલ સાહેબ નો સેમિનાર યોજાયો

મોરબી: નવયુગ કોલેજમાં આજે પ્રખ્યાત ખાગોળશાસ્ત્રી ડૉ જે.જે. રાવલ સાહેબનો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં તેઓએ ઘણી બધી શોધનું મૂળ ભારત છે, સૂર્ય વિશે માહિતી, lagrange point વિશે માહિતી, ભારતના ઇતિહાસનું હાલ વિજ્ઞાન વર્તમાન સાથે જોડાણ, બ્રમ્હાન્ડ શું છે તેની માહિતી, કોઈ નાનું કે મોટું નથી, અભિમાન ના કરવું જોઈએ, simple leaving and High thinking જેવી અનેક શીખો વિદ્યાર્થીઓને આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડૉ. જે.જે. રાવલ સાહેબ પ્રખ્યાત ખગોળશાસ્ત્રી છે તેઓ નહેરુ પ્લેનેટેરિયમ- વર્લી, મુંબઈ ના ડિરેક્ટર રહી ચુક્યા છે, હાલ તેઓ જનસેવા કેન્દ્ર, બોરીવલી ના પ્રેસિડેન્ટ છે.

આ સેમિનારના આયોજનમાં પ્રો.ડો. શાંતિલાલ ભોરણીયા કે જેઓ એમ. એમ. શાહ બી.એડ. કોલેજ ના પૂર્વ પ્રિન્સીપાલ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનાર સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જેમાં મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ તેમજ સર્વે વિભાગીય વડા તેમજ દરેક કોલેજના સ્ટુડન્ટ જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments