મોરબી જિલ્લામાં કડકડતી ઠંડીમાં નિશાચરો સક્રિય બની તરખાટ મચાવી રહયા છે ત્યારે ગતરાત્રીના માળીયા મિયાણા તાલુકાના નાના દહીંસરા ગામે ત્રાટકેલા તસ્કરોએ એક સાથે સાત મકાનને નિશાન બનાવી ચોરી કર્યાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના નાના દહીંસરા ગામે તસ્કરોએ ગત રાત્રે તરખાટ મચાવી એક સાથે સાત બંધ મકાનના તાળા તોડી નાની મોટી માલમતાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ચોરીની આ ઘટનામાં તસ્કરોએ તમામ બંધ મકાનને નિશાન બનાવ્યા છે. જેથી મોરબી ખાતે રહેતા મકાન માલિકો આવે ત્યારે બાદ ચોરીમા શુ શુ ગયું છે તેની સાચી હકીકત બહાર આવશે. હાલ તો એક સાથે સાત મકાનમાં ચોરી થતા નાના એવા ગામમાં નિશાચરોના નાઈટ પેટ્રોલિંગથી લોકોમાં ફફડાટ મચી ગયો છે.


