Wednesday, August 6, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના જલારામ મંદિરે નેત્રયજ્ઞ કેમ્પમાં 360 દર્દીઓએ લીધો લાભ

મોરબીના જલારામ મંદિરે નેત્રયજ્ઞ કેમ્પમાં 360 દર્દીઓએ લીધો લાભ

અત્યાર સુધીના 40 કેમ્પમાં કુલ 11806 લોકોનુ વિનામૂલ્યે સચોટ નિદાન થયું

મોરબી : જાણીતી આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4 તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તારીખ 4 જાન્યુઆરી ને શનિવારના રોજ સવારે 9 થી 1 કલાક દરમિયાન વિનામૂલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા 360 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તે ઉપરાંત 200 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. પ્રવર્તમાન માસનો કેમ્પ સ્વ.ઉજમબેન ગોકળભાઈ મારવાણીયા (દીનેશભાઈ મારવાણીયા-રાજપર વાળા) પરિવારના સહયોગ થી યોજાયો હતો.અત્યાર સુધીના 40 કેમ્પમાં કુલ 11806 લોકોનુ વિનામૂલ્યે સચોટ નિદાન થયું

નેત્રયજ્ઞ કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો. કાનજીભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામૂલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મોરબી જલારામ મંદિર ખાતે ગત 39 માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પમાં કુલ 11446 લોકોએ લાભ લીધો છે. તેમજ કુલ 5190 લોકોના વિનામૂલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા છે. ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પમાં કુલ 360 લોકોએ લાભ લીધો હતો. તેમજ 200 લોકોના વિનામૂલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માટે રવાના કરવામાં આવ્યા હતા. કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, રમણીકલાલ ચંડીભમર, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ, સંજય હીરાણી, કૌશલભાઈ જાની, હીતેશ જાની, મુકુંદભાઈ મીરાણી, કીશોરભાઈ ઘેલાણી, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. દર મહિનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી- 98250 82468, નિર્મિતભાઈ કક્કડ- 99988 80588, હરીશભાઈ રાજા-98792 18415, અનિલભાઈ સોમૈયા-85110 60066 પર સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments