મોરબી શહેરના વાવડી રોડ ઉપર ગાયત્રીનગરમાં રહેતા જ્યોતિબેન રમેશભાઈ પરમાર ઉ.46 નામના મહિલાએ ઉજજીવન બેન્કમાંથી 45 હજારની લોન લીધી હોય જેનો મહિને રૂપિયા 2600 હપ્તો આવતો હોવાથી આ મહિને હપ્તો ભરવાના પૈસાની વ્યવસ્થા ન થઈ શકતા ચિંતામાં ને ચિંતામાં એસિડ પી લેતા સારવાર દરમિયાન જ્યોતિબેનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.