મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા આજે રેલ્વે સ્ટેશન રોડ ઉપર દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન સેવાના અવિરત કાર્યમાં તત્પર રહેલા બચુબાપાની સેવા સ્થળ ખાલી કરાવવામાં આવી હતી.
ત્યારે મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સ્થળ પર જઈ બચુબાપાની મુલાકાત લીધી અને તેમના નિસ્વાર્થ સેવાભાવને બિરદાવી હતી. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, બચુબાપાને આવાં ઉદાત્ત કાર્યો માટે પ્રોત્સાહિત કરી અને તેમને આ સેવાઓ ચાલુ રાખવા માટે નવી જગ્યા ફાળવવાની ખાતરી આપી. આ સાથે, તેમની જનસેવાની ભાવનાને મેરું વંદન કરી, સત્યનિષ્ઠ પરમ સેવા માટે અભિનંદન પાઠવ્યા. બચુબાપાનું જીવનદ્રષ્ટિ અને નિસ્વાર્થ સેવા ભાવ બધા માટે પ્રેરણાદાયી છે.

