વાંકાનેર તાલુકાનાં કોઠારીયા ગામ થી સુપ્રસિદ્ધ યાત્રાધામ જડેશ્ચર મંદિર સુધી ડામર (એપ્રોચ) રોડ નું ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી નાં વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે પુર્વ કારોબારી ચેરમેન શ્રી યુસુફભાઈ શેરસીયા, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ શ્રી પરેશભાઅઈ મઢવી, કોઠારીયા ગામનાં સરપંચ આંબાભાઈ કોબીયા, કોઠારીયા ગામનાં પુર્વ સરપંચ શ્રી કીશોરસિંહ ઝાલા,વાંકાનેર નગરપાલિકાનાં કાઉન્સિલર શ્રી રમેશભાઈ વોરા, કાંતિભાઈ કુંઢીયા સહિત બહોળી સંખ્યામાં સૌ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.


