વાંકાનેર : ચુંટણી પુરી થતાંની સાથે જ ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા વાંકાનેર તાલુકાનાં કોઠારીયા ગામથી સુપ્રસિદ્ધ યાત્રાધામ જડેશ્વર મંદિર સુધી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
વાંકાનેર તાલુકાનાં કોઠારીયા ગામથી સુપ્રસિદ્ધ યાત્રાધામ જડેશ્ચર મંદિર સુધી ડામર (એપ્રોચ) રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્દહસ્તે કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે પુર્વ કારોબારી ચેરમેન યુસુફભાઈ શેરસીયા, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઅઈ મઢવી, કોઠારીયા ગામનાં સરપંચ આંબાભાઈ કોબીયા, કોઠારીયા ગામનાં પુર્વ સરપંચ કીશોરસિંહ ઝાલા, વાંકાનેર નગરપાલિકાનાં કાઉન્સિલર રમેશભાઈ વોરા, કાંતિભાઈ કુંઢીયા સહિત બહોળી સંખ્યામાં સૌ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.



