મોરબી : મોરબીના અમરનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાશે. અમરનાથ મહાદેવના સાનિધ્યમાં અમરનાથ મહાદેવ મંદિરે ૬૬ કેવી સપ્ટેશનના નવી પીપળી મોરબી ખાતે તારીખ ૨૬/૦૨/૨૦૨૫ને મહાવદ તેરસને બુધવારના રોજ મહાશિવરાત્રિના પાવન પવિત્ર દિવસે બપોરે ૧૨ વાગ્યે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે તો આ મહાઆરતીમાં પધારવા તેમજ રાત્રે ૦૯:૦૦ વાગ્યે ધૂન ભજન માં પધારવા સર્વે ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ અમરનાથ મહાદેવના મિત્ર મંડળે પાઠવ્યુ છે.


