Saturday, July 26, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના પાનેલી ગામેં મસાણી મેલડી માઁ નો માંડવો અને શનિદેવ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ...

મોરબીના પાનેલી ગામેં મસાણી મેલડી માઁ નો માંડવો અને શનિદેવ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

મોરબી : મોરબી તાલુકાના પાનેલી ગામમાં મસાણી મેલડી માઁનો તિથી માંડવો તથા શનિદેવ મહારાજની મુર્તિ-શીલા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાશે. આ ઉજવણી આગામી ૨૬ માર્ચ, ૨૦૨૫ના રોજ દાતાશ્રીઓના સહયોગથી યોજાશે. માંડવા તથા યજ્ઞ નિમિત્તે થતી આવક ગૌસેવાના પવિત્ર કાર્ય માટે ખર્ચવામાં આવશે. આ પ્રસંગે બપોરે ૧૧:૩૦ કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી તાલુકાના પાનેલી ગામમાં આગામી ૨૬ માર્ચ, ૨૦૨૫ના રોજ વિશેષ ધાર્મિક મહોત્સવ યોજાવાનો છે. મસાણી મેલડી માઁનો તિથી માંડવો તથા શનિદેવ મહારાજની મૂર્તિ-શીલા પ્રાણપ્રતિષ્ઠા વિધિઓ ધામધૂમથી ઉજવાશે. આ મહોત્સવ દાતાશ્રીઓના સહયોગથી ભક્તિભાવપૂર્વક યોજાશે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેશે. શનિદેવ મહારાજના યજ્ઞ અને તિથી માંડવા દરમ્યાન થતી તમામ આવક ગૌસેવા માટે સમર્પિત કરવામાં આવશે. આ પ્રસંગે સ્થાનિક ભક્તજનો અને દાતાઓએ વધુમાં વધુ સંખ્યામાં પધારી ધાર્મિક મહોત્સવને યશસ્વી બનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments