Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabi30એ ચોટીલાની પરિક્રમા : અંગદાન માટે મોરબી જિલ્લાના લોકો જોડાય તેવી હાકલ

30એ ચોટીલાની પરિક્રમા : અંગદાન માટે મોરબી જિલ્લાના લોકો જોડાય તેવી હાકલ

મોરબી : અંગદાન મહાદાનની થીમ પર આ વખતે 30 માર્ચે ચોટીલાની પરિક્રમા યોજાશે. ચૈત્ર સુદ એકમ પ્રથમ નોરતે ચોથી પરિક્રમામાં 80 હજાર પરિક્રમાર્થી જોડાવાની સંભાવના છે.

ચોટીલા ધર્મ જાગરણ સમન્વય તેમજ ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ દ્વારા સતત ચોથી વાર ડુંગર પરિક્રમાનું આયોજન કરાયુ છે. રાજ્યમાં અંગદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ વધે એ હેતુથી આ વર્ષની પરિક્રમાની થીમ મહત્વની રહેશે.અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૫૦ સ્વયંસેવક લોકો ને અંગદાન નું મહત્વ સમજાવી ફોર્મ ભરાવશે તેમજ અંગદાન અંગે ની પત્રિકાઓ વિતરણ કરશે. આ પરિક્રમા અને આ જનજાગૃતિ અભિયાનમાં મોરબી જિલ્લામાંથી લોકો જોડાય તેવી અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અપીલ કરાઈ છે તેમ યાદીમાં જણાવાયુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments