Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsટંકારાના લક્ષ્મીનારાયણ નગરમાં પાણી પ્રશ્ને તંત્રને ઢંઢોળવા થાળીનાદ

ટંકારાના લક્ષ્મીનારાયણ નગરમાં પાણી પ્રશ્ને તંત્રને ઢંઢોળવા થાળીનાદ

ટંકારા : ટંકારાના લતીપર રોડ પર તાલુકા પંચાયત ઓફિસ સામે આવેલી લક્ષ્મીનારાયણ નગર સોસાયટી-5ના રહીશોએ પાણી બાબતે આજે નગરપાલિકા કચેરી ખાતે બેસીને થાળી વગાડીને વિરોધ વ્યક્ત કર્યો હતો અને પાણી આપવા માગ કરી હતી.

લક્ષ્મીનારાયણનગર સોસાયટી-5માં છેલ્લા ઘણા દિવસોથી પાણી આપવામાં આવતું નથી. સોસાયટીમાં આશરે 150 જેટલા ઘર આવેલા છે. ત્યારે આ અંગે રહીશોએ અવાર નવાર મૌખિક રજૂઆત કરી હતી. જો કે તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા આજ રોજ સોસાયટીના રહેવાસીઓએ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે અને સાથે જ મહિલાઓએ નગરપાલિકા કચેરીમાં બેસીને થાળી વગાડીને નિયમિત પાણી આપવા ઉગ્ર માગ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments