મોરબી : સેવાકીય પરહિત કર્મ ગ્રુપના સહયોગથી મોરબીનાં સાર્થક વિદ્યામંદિરમાં કીડીયારું પુરવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. સાર્થક વિદ્યામંદિરમાં પરહિતકર્મ ગ્રુપ દ્વારા ધોરણ 8 ના બાળકોને કીડીયારું પૂરવા અંગે માહિતી આપવામાં આવી હતી. અબોલ જીવો માટે અનાજ ભંડારા દ્વારા નાળિયેરમાં કીડીયારું ભરીને અલગ અલગ જગ્યાએ રાખવાથી ઘણા નાના નાના જીવોને ખોરાક મળી શકે એ અંતર્ગત આ માહિતી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.



