Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના શનાળા-રવાપર વચ્ચે મંજુરી વગર ખડકાયેલા 8 માળના એપાર્ટમેન્ટને સિલ કરાયું

મોરબીના શનાળા-રવાપર વચ્ચે મંજુરી વગર ખડકાયેલા 8 માળના એપાર્ટમેન્ટને સિલ કરાયું

મોરબીના શક્ત શનાળા-રવાપર વચ્ચે મંજૂરી વગર 8 માળનું સનાતન ગ્રામ નામનું એપાર્ટમેન્ટ ખડકી દીધાનું ધ્યાને આવતા મહાનગરપાલિકાએ આકરી કાર્યવાહી કરી છે. જેમાં મહાપાલિકાની ટીપી શાખા દ્વારા આ મંજૂરી વગર ખડકાયેલા સનાતન ગ્રામ નામના એપાર્ટમેન્ટને સિલ મારી દેવામાં આવ્યું છે. 

મોરબી મહાનગરપાલિકા દ્વારા હાઇરાઈઝ બિલ્ડીંગને સીલ મારી અહીં નોટિસ પણ લગાવી દેવામાં આવી છે જેમાં જણાવાયુ છે કે, મોરબી મહાનગરપાલિકા હદમાં શકતશનાળા ગામના સર્વે નં.૧૮૪ પૈકી ૨/ પૈકી ૧માં મહેશભાઈ ભોરણીયા તથા અન્યો મૂળ જમીન માલીક દ્વારા રજા ચિઠ્ઠી લીધા વગર ગેરકાયદેસર બાંધકામ કરવાની કામગીરી ચાલુ છે. આ મિલ્કતને સિલ કરવામાં આવી છે. સિલ તોડવું કે સિલ કરેલ મિલકતમાં પ્રવેશ કરવો એ ગુનો બને છે. આ મામલે ટીપી શાખાના અધિકારીએ જણાવ્યું કે શક્ત શનાળા ગામ નજીક ગ્રાઉન્ડ + 8 માળનું બિલ્ડીંગ જે મહાપાલિકામાં નવા ઉમેરાયેલ વિસ્તારમાં આવે છે. આ બિલ્ડીંગ માટે ગ્રામ પંચાયત તરફથી મંજૂરી મળી હતી. પણ ગ્રામ પંચાયતને ગ્રાઉન્ડ + 4 માળ સુધીની જ બિલ્ડીંગને મંજૂરી આપવાની સતા હોય છે. અમે બાંધકામ રોકાવા માટે અગાઉ નોટિસ આપી હતી. નોટીસનો અનાદર કરીને તેઓને બાંધકામ ચાલુ રાખ્યું હતું. જેથી આ બિલ્ડીંગ સિલ કરવામાં આવી છે. હવે તેઓએ યોગ્ય પુરાવા મહાપાલિકા સમક્ષ રજુ કરવા પડશે. બાદમાં આગળની કાર્યવાહી હાથ ધરાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments