મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૧૫ ના રોજ શહેરમાં ડ્રેનેજ લાઈનના ખાતમુર્હતનો કાર્યક્રમ યોજાશે અને ગ્રીન ચોકની લાઈબ્રેરીનો વાંચનરૂમ પુનઃ શરુ કરવામાં આવશે
મોરબી મહાનગરપાલિકા દ્વારા સુપર ટોકીઝથી અમુલ ડેરી (નવલખી રોડ) સુધી ડ્રેનેજ લાઈન નાખવાના કામનું તા. ૧૫ના રોજ સવારે ૧૦ કલાકે ખાતમુર્હત કરવામાં આવશે તેમજ દરબારગઢથી નહેરૂ ગેટ સુધી ડ્રેનેજ લાઈનનું ખાતમુર્હત ૧૦ કલાકે કરવામાં આવશે તે ઉપરાંત ગ્રીન ચોક લાઈબ્રેરીનો વાંચન રૂમ પણ તા. ૧૫ થી જાહેર જનતા માટે પુનઃ કાર્યરત કરવામાં આવશે