Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsHalvadહળવદના ચરાડવા ગામે લગ્ન ન થવાથી નાસીપાસ થયેલા યુવાને મોતને વહાલું કર્યું

હળવદના ચરાડવા ગામે લગ્ન ન થવાથી નાસીપાસ થયેલા યુવાને મોતને વહાલું કર્યું

હળવદ : હળવદના ચરાડવા ગામે લગ્ન ન થવાથી નાસીપાસ થયેલા યુવાને ગળેફાંસો ખાઈને મોતને વહાલું કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા લાલજીભાઈ શંકરભાઇ લકુમ ઉ.વ. 30 નામનો યુવાન ધુની સ્વભાવનો હોય અને યુવાન વય થઈ જવા છતાં લગ્ન ન થતા હોય ગુમસુમ રહેતા આ યુવાને એકલવાયા જીવનથી કંટાળી જઈ ગઈકાલે પોતાના ઘેર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments