મોરબી : પરશુરામ યુવા ગ્રુપ- મોરબીના વર્ષ 2025-26ના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ, મહામંત્રી, ઉપપ્રમુખ, સહમંત્રી, સંયોજક, લિગલ સેલ, સોશ્યલ મીડિયા, ખજાનચી સહિતના પદો પર હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.
જેમાં પરશુરામ યુવા ગ્રુપ- મોરબીના પ્રમુખ તરીકે ઉદયભાઈ જે. જોષીની વરણી કરાઈ છે. તો મહામંત્રી તરીકે હર્ષભાઈ વ્યાસ, વિશ્વાસભાઈ જોષી, વિજયભાઈ રાવલની નિયુક્તિ કરાઈ છે. ઉપપ્રમુખ તરીકે કૌશલભાઈ મહેતા, ધર્મભાઈ રાવલ, યાજ્ઞિકભાઈ ગામોટ, રાકેશભાઈ પંડ્યા, ભાર્ગવભાઈ દવે, હર્ષભાઈ જાનીની નિમણૂક કરવામાં આવી છે. સહમંત્રી તરીકે પ્રશાંકભાઈ જાની, નિરવભાઈ જાની, જીગરભાઈ દવે, દિપભાઈ પંડ્યા, યજ્ઞેશભાઈ રાવલ, કિશનભાઈ મહેતાની પસંદગી કરાઈ છે. સંયોજક તરીકે નયનભાઈ પંડ્યા, લિગલ સેલમાં મહીધરભાઈ દવે, સોશ્યલ મીડિયામાં ભાર્ગવભાઈ શુક્લા અને ખજાનચી તરીકે હાર્દિકભાઈ ભટ્ટની વરણી કરાઈ છે.
