મોરબી : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું છે. ત્યારે વિજયભાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા 23 જૂનના રોજ મોરબીમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 4 થી 6 કલાક દરમિયાન મોરબીના લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે સ્મૃતિવંદના- પ્રાર્થના સભા યોજાશે. આ પ્રાર્થના સભામાં સ્વ. વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે.
