વલસાડ : વિકાસ સહાય, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુ.રા.ગાંધીનગરનાઓની પહેલ અન્વવે મિલ્કત સબંધી ગુનાઓમા, ગુમાવેલ કિમતી મુદામાલ તથા ખોવાયેલ મોબાઈલ ફોન નાગરીકો સુધી સરળતાથી પહોંચે તે સારૂ યોગ્ય દિશામાં અસરકારક પ્રયત્નો કરવા સુચન કરેલ હોય, જે બાબતે ગંભીરતા લઈ સમયાંતરે આ કામગીરીનું મુલ્યાંકન કરી ખોવાયેલ મોબઇલો CEIR પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવી નાગરીકોને તેઓના કિંમતી માલ સામાન પરત કરવા સુચત કરેલ હોવાથી વલસાડના એસપી ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસે
લોકોના ખોવાયેલા ૧૩૭ મોબાઈલને ૩ દિવસમાં જ શોધી કાઢ્યા છે.
સુરત વિભાગ, સુરતના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS) તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરણરાજ વાઘેલા (IPS) નાઓ દ્વારા CEIR પોર્ટલના ઉપયોગ અંગે જીલ્લાના અધિકારી/કર્મચારીઓને તાલીમથી માહીતગાર કરવામાં આવેલ તેમજ CEIR પોર્ટલનો મહતમ પ્રચાર કરાવી ખોવાયેલ મોબાઈલ ફોનનું વધુમાં વધુ આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન થાય તે માટે નાગરીકોને સોશિયલ મિડીયા ઉપર જાગૃત કરવામાં આવેલ. જેનું પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટ, વલસાડ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોનીટરીંગ કરી વલસાડ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી -કર્મચારીઓ દ્વારા વલસાડ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનનાં કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી આયોજન પૂર્વક CEIR પોર્ટલનું મોનીટરીગ કરવામાં આવેલ
જેના ફળસ્વરૂપે CEIR પોર્ટલ ઉપર ખોવાવેલ મોબાઇલની માહિતી એકઠી કરી જુદી જુદી ટીમો દ્વારા ફકત દિન-03 માં વલસાડ જિલ્લાના કુલ-૧૦ પોલીસ સ્ટેશનો દ્વારા અલગ અલગ વિસ્તારમાં એકટીવ થયેલ કુલ-૧૩૭ ખોવાયેલ મોબાઈલ ફોન જેની કિ.રૂ. 16,68,393 નો મુદામાલ રીકવર કરવામા મહત્વની સફળતા મળી છે.
