Wednesday, July 30, 2025
No menu items!
Google search engine
HomeNewsટંકારાના રોહિશાળા ગામે વોકળામા તણાઇ જવાથી યુવાનનું મોત

ટંકારાના રોહિશાળા ગામે વોકળામા તણાઇ જવાથી યુવાનનું મોત

ટંકારા : ટંકારા તાલુકાના રોહિશાળા ગામે બે દિવસ પૂર્વે ભારે વરસાદ વરસતા બાઈક લઈને જઈ રહેલા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલમાં રોહિશાળા ગામે અમરશીભાઈ ઉકાભાઈ સવસાણીની વાડીએ ખેત મજૂરી કરતા જાલમસિંગ સુરસિંગ બામણીયા ઉ.25નું બાઈક રોહિશાળા અને દહીંસરડા ગામ વચ્ચે આવેલ વોકળામાં પાણીમાં ફસાઈ ગયુ હતું. જો કે, વોકળામાં ધસમસતા પાણીના પ્રવાહ હોવા છતાં જાલમસિંગ બાઈક કાઢવા જતા પાણીના પ્રવાહમાં તણાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ બાદ મોરબી ફાયર બ્રિગેડે બેભાન હાલતમાં જાલમસિંગને ટંકારા દવાખાને ખસેડતા તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments