માળીયા મિયાણા શહેરમા એસબીઆઈ બેન્ક સામે રહેતા અને માલાણી શેરીમાં સાસરું ધરાવતા મુશ્કાનબેન અસ્વાદભાઈ જામ ઉ.22 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના પિતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મુશ્કાનબેનના 14 મહિના પૂર્વે જ લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.