Wednesday, June 25, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં રાજપૂત સમાજનો 53મો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબીમાં રાજપૂત સમાજનો 53મો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબી જિલ્લા રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ માસના છેલ્લા રવિવારે એટલે કે 27 જૂલાઈ ને રવિવારના રોજ 53મો સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સરસ્વતી સન્માન સમારોહ મોરબીના લીલાપર રોડ પર આવેલા કેશવ બેન્કવેટ હોલ ખાતે યોજાશે.

સરસ્વતી સન્માન સમારોહમાં રાજપૂત સમાજના ધોરણ 5 થી લઈને કોલેજ સુધીના ઉચ્ચત્તમ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર અર્પણ કરવામાં આવશે. તો મોરબી જિલ્લામાં વસતા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને પોતાની માર્કશીટ 11 જુલાઈ સુધીમાં જમા કરાવવા અપીલ કરવામાં આવી છે. માર્કશીટ જમા કરાવવા માટે મહાવિરસિંહ જાડેજા- ચાંદલી મો.નં. 9879400007, હરદેવસિંહ જાડેજા- ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી મો.નં. 9825195661, મહાવિરસિંહ જાડેજા- શક્તિ કોર્પોરેશન બોય્ઝ હાઈસ્કૂલ પાસે, મોરબી મો.નં. 9925020249, જશવંતસિંહ ઝાલા- સોમૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબી મો.નં. 9033600303, રાજભા સોઢા- ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, મોરબી મો.નં. 9825673936નો સંપર્ક કરવા પ્રમુખ દશરથસિંહ ઝાલા અને મહામંત્રી મહાવિરસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments