Wednesday, June 25, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીનો રોડ બંધ કરાશે, જાણો કારણ..!!

મોરબીમાં વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીનો રોડ બંધ કરાશે, જાણો કારણ..!!

મોરબીમાં વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધીનો રોડ નવો બનાવાનો હોવાથી આજથી બુધવારથી આટલો રોડ બંધ કરવામાં આવશે. જેની નોંધ લેવા તમામ વાહનચાલકોને મહાપાલિકાએ અનુરોધ કર્યો છે.

મહાપાલિકાના નાયબ કમિશનરની યાદીમાં જણાવ્યા અનુસાર મોરબીમાં વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધી અંદાજીત ૭૦ મીટર સી.સી.રોડનું કામ આજે તા.૨૫/૦૬/૨૦૨૫ થી શરૂ કરવામાં આવશે. એટલે કામ ચાલુ કર્યા તારીખથી દિન-૩૦ માટે અથવા કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી રોડ તમામ પ્રકારના વાહનોની અવર જવર માટે બંધ કરવાનો છે. તેમજ આ રસ્તા પરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોએ અવરજવર કરવા માટે વિજય ટોકીઝ થી જુના બસ સ્ટેશન અને તખ્તસિંહજી રોડનો વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments