મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબીના સ્વ.જસવંતીબેન સવજીભાઈ સરડવા ની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી નિમિતે તેમના સુપુત્રો દ્વારા સદાવ્રત મા મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો. આ તકે નરેન્દ્રભાઈ સવજીભાઈ સરડવા, વિપુલભાઈ સવજીભાઈ સરડવા, ઉમેશભાઈ સવજીભાઈ સરડવા, ઈશિત નરેન્દ્રભાઈ સરડવા, ક્રિના-ક્રિવા ઉમેશભાઈ સરડવા સહીત ના પરિવાર ના સભ્યોએ ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ. આ તકે મોરબી ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર,જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, અનિલભાઈ સોમૈયા, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, હિતેશભાઈ જાની,સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ સદ્ગતને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

