Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી મનપામાં આવતીકાલથી 10 જુલાઈ સુધી વેરા વસુલાત બંધ: જાણો કારણ..!!

મોરબી મનપામાં આવતીકાલથી 10 જુલાઈ સુધી વેરા વસુલાત બંધ: જાણો કારણ..!!

મોરબી મહાનગરપાલિકામાં ઈ-નગર સોફ્ટવેરમાં આવતી મુશ્કેલીઓ નિવારવા તથા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ માટે વપરાતા સોફ્ટવેરને અપગ્રેડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના કારણે તારીખ 28 જૂન ને શનિવારથી 10 જુલાઈ ને ગુરુવાર સુધી વેરા વસુલાત બંધ રહેશે.

સોફ્ટવેર અપગ્રેડ કરવાની કામગીરી પૂર્ણ થતાં મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી ઓનલાઈન સેવાઓ સરળતાતી અને ઝડપથી મેળવી શકાશે. આ અપગ્રેડેશનની કામગીરી 28 જૂન થી 10 જુલાઈ સુધી ચાલનાર હોય હાલમાં ઉપયોગમાં લેવાતા ઈ-નગર સોફ્ટવેરમાં વિવિધ મોડ્યુલ્સની સેવાઓ બંધ થવાના કારણે નાગરિકો આ સમયગાળા દરમિયાન પ્રોપર્ટી ટેક્સ, વ્યવસાયવેરો અને ગુમાસ્તાધારાની ફી ઓનલાઈન કે ઓફલાઈન ભરી શકશે નહીં તથા ઈ-નગર મારફત આવતી જાહેર જનતાની ફરિયાદની નોંધણી થઈ શકશે નહીં જેની જાહેર જનતાએ નોંધ લેવા મોરબી મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments