મોરબી : મોરબીના રામધન આશ્રમના મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીએ ચારધામ યાત્રા પૂર્ણ કરી છે. તેઓ ચારધામ ખાતે સત્સંગ અને કથા કરીને પરત મોરબી આવ્યા છે. તેમણે ગંગોત્રી, યુમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ એમ ચારધામની યાત્રા કરી હતી અને દર્શન કર્યા હતા. આ યાત્રા પૂર્ણ કરવા બદલ સૌ સેવકો રત્નેશ્વરીદેવીને શુભેચ્છા પાઠવી રહ્યા છે.
