Wednesday, July 23, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiટંકારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુ વંદન સાથે નવી કારોબારીનું ગઠન કરાયું

ટંકારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુ વંદન સાથે નવી કારોબારીનું ગઠન કરાયું

મોરબી : ટંકારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુ વંદન કાર્યક્રનું આયોજન કરી નવી કારોબારીનું ગઠન કરવામાં આવ્યું હતું. ટંકારા તાલુકા શૈક્ષિક મહાસંઘની નવી ટીમનું ગઠન કરાયું છે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ટંકારા તાલુકા દ્વારા ગુરુ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યકમની શરૂવાત સૌ પ્રથમ ભારતીય સંસ્કૃતિ મુજબ સરસ્વતી વંદના અને દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યુ હતું અને ગુરુ વંદના કાર્યકમ માં મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા,રાજ્યના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી,કિરણભાઈ કચરોલા મંત્રી,નિરવભાઈ બાવરવા પ્રચાર મંત્રી ઉપસ્થિત રહયા હતા. આ કાર્યકમમાં મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા દ્વારા ગુરુવંદન માટે આધ્યાત્મિક,સાંસ્કૃતિક બાબતો ની વાત મૂકી અને ગુરુનું શું સ્થાન હતું? પેલા સમાજમાં અને અને અત્યારે શું સ્થાન છે? તેના વિશે સચોટ માહિતી આપી હતી.

સંગઠનનો વ્યાપ વધારવા માટે અને સંગઠનને વધારે મજબૂત બનાવવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ . એક કાર્યકર્તા તરીકે આપડી શું ભૂમિકા હોવી હોઈએ અને આપડે સમાજ અને રાષ્ટ્ર માટે શું કરી શકીએ? તેની સચોટ માહિતી રાજ્યના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણીએ આપી હતી.

ટંકારા તાલુકા દ્વારા આવનારા સમયમાં શિક્ષકોના પડતર પ્રશ્નોને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વાચા આપવામાં આવશે,અને સદસ્યતા અભિયાન માટે નું આયોજન કરવામાં આવ્યું . અને ટંકારા તાલુકાની કારોબારીની નવી રચના કરવામાં આવી ,જેમાં નવા સભ્યો અધ્યક્ષ:- રોહિતભાઈ ચીકાણી મંત્રી:- અભયભાઈ ઢેઢી સંગઠન મંત્રી:- સતિષભાઈ પટેલ સી.ઉપાધ્યક્ષ:- વાત્સલ્યભાઈ મનીપરા ઉપાધ્યક્ષ:- નીતિનભાઈ નમેરા
ઉપાધ્યક્ષ:- ભરતભાઈ રાજકોટિયા ઉપાધ્યક્ષ:-રાજેશભાઈ ગાંભવા મહિલા ઉપાધ્યક્ષ:-જીવતીબેન પીપળીયા સહ સંગઠન મંત્રી;- જયેશભાઈ વિરસોડિયા સહ મંત્રી:- ઘનશ્યામભાઈ ભોરણીયા સહમંત્રી:- પરેશભાઈ દુબરીયા કોષાધ્યક્ષ:- રમણિકભાઈ વડાવીયા પ્રચાર મંત્રી:-.અમિતભાઈ ફટાણીયા
કાર્યાલય મંત્રી:- હર્ષદભાઈ લો જિલ્લા પ્રતિનિધિ:- ડાયાલાલ બારૈયા નિમણૂક કરવામાં આવી છે.

કારોબારીમાં સદસ્યતા અભિયાન માટે આયોજન કરવામાં આવ્યું તાલુકાના તમામ શિક્ષકો સુધી પહોંચી પંદર દિવસમાં સદસ્યતા અભિયાન પૂર્ણ કરવાની યોજના બનાવવામાં આવી. ત્યારબાદ તાલુકાના કારોબારી સભ્યો દ્વારા પ્રતિભાવ આપવા આવ્યા તથા પ્રશ્નોની રજુઆત કરવામાં આવી અને અંતે કારોબારી બેઠકમાં કલ્યાણ મંત્ર કરી કાર્યકમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments