મોરબી : મોરબી બાયપાસ ઉપર ધરમપુર ગામના પાટિયા પાસે આવેલ ફોનિક કલરના કારખાનામાં કામ કરતા મૂળ બિહારના વતની ચંદનકુમાર ઇન્દ્રદેવ યાદવ ઉ.40 નામના શ્રમિક ફેકટરીમાં લોખંડના ઘોડા ઉપર ચડી કામ કરતા હતા ત્યારે ગત તા.11ના રોજ અકસ્માતે ઘોડા ઉપરથી નીચે પટકાતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.