મોરબી : ક્રાંતિકારી સેના દ્વારા મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના જન્મદિવસ નિમિત્તે આઝાદ પાર્ક ખાતે આવેલ ચંદ્રશેખર આઝાદની પ્રતિમાની સફાઈ કરી પ્રતિમાને ફૂલહાર કરી આજના દિવસની ઉજવણી કરી હતી.
આજના યુવાનોને વિદેશી દિવસો ખૂબ યાદ હોય જેવા કે ટેડી ડે, પ્રોમીસ ડે, વગેરે પશ્ર્ચિમી સંસ્કૃતિના ના દિવસો પણ જે 22-23 વર્ષ ના યુવાનો એ દેશ માટે પોતાના જીવ આપી દીધા તેમના દિવસો આજે કોઈ ને યાદ નથી કે 10 મિનિટ યાદ કરવાનો સમય નથી ત્યારે ક્રાંતિકારી સેના હંમેશા આવા દિવસોને યાદ કરે છે અને લોકોને પણ યાદ અપાવે છે.

