મોરબી : આજે ભારતીય મજદૂર સંઘના સ્થાપના દિન નિમિત્તે નવલખી/મોરબી ખાતે આરાધ્ય દેવ વિશ્વકર્મા ભગવાનના પૂજન – અર્ચનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પોર્ટ ઓફિસર કેપ્ટન આર.કે. મીશ્રા, લિબાચીયા સહીત અધિકારીઓએ હાજરી આપી હતી અને શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. આ દરમ્યાન સ્થાનીક અમરસીભાઈ પટેલ, ભારતીય મજદૂર સંઘના જિલ્લા મંત્રી પ્રણવભાઈ ઠાકર તથા વલ્લભભાઈ સુમડ, મનોજભાઈ ઠાકર, સુખદેવસિહ જાડેજા, માનસિગભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

