વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સ્પૂનવેબ નામના કારખાનામા પ્લમ્બિંગ કામ કરવા ગયેલા જોધપર ગામના નાસિરભાઈ અબ્દુલભાઇ ખોરજીયા ઉ.28 નામના યુવાનને કામ કરતી વેળાએ વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.