મોરબી : મોરબી તાલુકાના વાઘપર ગામની સીમમાં આવેલ સ્નોસ્ટોન સિરામિક ફેક્ટરીની પાછળ આવેલ ખેતરના શેઢેથી મૂળ બિહારના વતની અને હાલમાં ઓધવ માઇક્રોન કારખાનાના લેબર કવાટર્સ, વાઘપર ગામની સીમમાં રહેતા અનિલ જગરનાથ યાદવ ઉ.31 નામના યુવકની લાશ મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.