Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના કાલે બીજા સોમવારે મહાઆરતી યોજાશે

મોરબીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના કાલે બીજા સોમવારે મહાઆરતી યોજાશે

મોરબી : ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, માર્કેટિંગ યાર્ડ સામે આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 7:00 વાગ્યે યોજાનારી આ મહાઆરતી પૂર્વે મહાદેવજીને સુંદર ફૂલોથી શણગારવામાં આવશે અને ભવ્ય દીપમાળા કરવામાં આવશે.

આ ભવ્ય શણગાર અને દીપમાળા ત્રિવેદી એસોસિએટ્સ પરિવાર અને સદગુરુ ફ્લાવર્સ ભૂરાભાઈ જીઆઈડીસી તેમજ મહેન્દ્રનગર બ્રાન્ચના સૌજન્યથી કરવામાં આવશે. પ્રખ્યાત ભાવિક ગજ્જરના મધુર સંગીતના સથવારે મહાદેવજીની મહાઆરતી ઉતારવામાં આવશે.
આ વર્ષે, આ મહાઆરતી ભાજપ મહિલા મોરચા દ્વારા ઉતારવામાં આવશે. મોરબી શહેર ભાજપના મહિલા મોરચાના મહામંત્રી જયશ્રીબેન વાઘેલા અને મંદિરના મહંત પ્રવીણગીરી મહારાજ દ્વારા સર્વે ધર્મપ્રેમી જનતાને આ મહાઆરતીનો લાભ લેવા ભાવભરી વિનંતી કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments