Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiહાઉસિંગ બોર્ડના સોમનાથ મહાદેવ મંદિરે કાલે બીજા સોમવારે મહાકાલનો શૃંગાર કરાશે

હાઉસિંગ બોર્ડના સોમનાથ મહાદેવ મંદિરે કાલે બીજા સોમવારે મહાકાલનો શૃંગાર કરાશે

મોરબી :સોમનાથ મહાદેવ મંદિર ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડના મહંતની યાદી જણાવે છે કે, હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે એટલે કાલે સોમવારે આ સોમનાથ મહાદેવ મંદિરએ મહાકાલનો શૃંગાર કરવામાં આવશે. ગુજરાત હાઉસિંગ બોર્ડ છોટાલાલ પેટ્રોલ પમ્પ શનાળા રોડ મોરબી ખાતે મહાદેવજીને સુંદર ફૂલોથી શણગાર અને ભવ્ય દીપમાળા ત્રિવેદી એસોસિએટ્સ પરિવાર અને સદગુરુ ફ્લાવર્સ જીઆઇડીસી તેમજ મહેન્દ્રનગર બ્રાન્ચના સૌજન્યથી પ્રખ્યાત ronny mack starBandના મધુર સંગીતના સથવારે મહાદેવજીની ભવ્યાતિભવ્ય મહાઆરતીનું આયોજન કરવા માં આવેલ છે .આ મહાઆરતી સોસાયટીના જનસેવક એવા સ્વઃપરબતભાઇ કરોતરાના ધર્મપત્ની લાભુબેન પરબતભાઇ કરોતરાના વરદ હસ્તે ઉતારવામાં આવશે.આ આરતી નો લાભ લેવા માટે હિરેનભાઈ કારોતર એ ધર્મપ્રેમી જનતા ને  અપીલ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments