મોરબી : જયશ્રી માનવસેવા ટ્રસ્ટના હસ્તે આજ રોજ ત્રિવેદી એસોસિએટ્સ અને સદગુરુ ફ્લાવરના સહયોગથી રેલવે સ્ટેશનની સામે આવેલ મહારનીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ રૈન બસેરામાં રહેતા લોકોને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં ટ્રસ્ટના પ્રમુખશ્રી જયશ્રીબેન વાઘેલા , ગૌતમભાઈ રાઠોડ,રવિભાઈ પરમાર,ઉમાબેન, ધાર્મી તેમજ રૈન બસેરાના મેનેજરશ્રી પરેશભાઈ ત્રિવેદી, સિનિયર કેર ટેકર અસ્મિતાબેન ગોસ્વામી હાજર રહ્યા હતા. કોઈપણની લગ્નતિથી, જન્મતિથિ , શ્રદ્ધાંજલિ કે અમાસ, પૂનમ કે શ્રાવણ કે પરસોતમ મહિનામાં કાઈ પણ દાન આપવું હોય તો એક દિવસ અગાવ જાણ કરવી.
ત્રિવેદી એસોસિએટ્સ અને સદગુરુ ફ્લાવર, જયશ્રીબેન વાઘેલા
7016707020(કપિલભાઈ રાઠોડ),88666 06160
(જયશ્રી માનવસેવા ટ્રસ્ટ)



