Wednesday, August 6, 2025
No menu items!
Google search engine
HomeUncategorizedમોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન હાથ ધરાશે

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન હાથ ધરાશે

તમામ તાલુકા અને શહેરના પ્રમુખની નિમણૂકને લઈ નિરીક્ષકો આવશે

મોરબી : તારીખ 7 અને 8 ઓગસ્ટના રોજ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સૃજન અભિયાન ચલાવવામાં આવશે. જેમાં મોરબી જિલ્લાના તમા તાલુકા અને શહેરના પ્રમુખોની નિમણૂક માટે નિરીક્ષકો વિવિધ તાલુકા અને શહેરની મુલાકાત લેશે.

તાલુકા/શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખો નક્કી કરવા પ્રદેશ કક્ષાએથી કચ્છના પૂર્વ ધારાસભ્ય બચુભાઈ અરેઠીયા અને દ્વારકાથી યાસીનભાઈ ગજન નિરીક્ષક તરીકે આવી રહ્યા છે. ત્યારે આ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત 7 ઓગસ્ટના રોજ સવારે 10 કલાકે માળિયાના ટેલિફોન એક્સચેન્જ પાછળ, ત્યારબાદ બપોરે 3 કલાકે હળવદ સર્કિટ હાઉસ ખાતે, 8 ઓગસ્ટના રોજ સવારે 10 કલાકે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે, બપોરે 2 કલાકે ટંકારા સર્કિટ હાઉસ ખાતે અને સાંજે 5 કલાકે વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે નિરીક્ષકો મળશે. તો આ પ્રસંગે તાલુકાના તમામ સંગઠનના હોદ્દેદારો, જિલ્લા/તાલુકા/નગરપાલિકાના સદસ્યો, પૂર્વ સદસ્યો, ઉમેદવારો, તાલુકા/શહેરમાં આવતા પ્રદેશ-જિલ્લા-તાલુકા ફ્રન્ટલ-સેલ-ડીપાર્ટમેન્ટના હોદ્દેદારો, વિધાનસભાના પૂર્વ ઉમેદવારો, જિલ્લા/તાલુકા/નગરપાલિકાના વિપક્ષ નેતા/પૂર્વ વિપક્ષ નેતા, પૂર્વ પ્રમુખ સહિત તાલુકા/શહેર સંગઠનના આગેવાનોને રૂબરૂ મળીને વન-ટુ-વન અને સામૂહિક રજૂઆત સાંભળશે. તો આ તકે સૌને ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ જણાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments