Wednesday, August 6, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiએક્સપોર્ટમાં ફસાયેલ નાણાની રિકવરી કરાવવા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને રજુઆત કરતા સીરામીક...

એક્સપોર્ટમાં ફસાયેલ નાણાની રિકવરી કરાવવા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને રજુઆત કરતા સીરામીક ઉદ્યોગકારો

મોરબી : તાજેતરમાં મોરબી સિરામિક એસોસિએશનના હોદેદારોએ મોરબીના ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવતા એક્સપોર્ટમાં ફસાયેલ નાણાની રિકવરી કરાવવા અંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને સંસદ ભવન – દિલ્હી ખાતે રજૂઆત કરી હતી.

મંત્રી મનસુખભાઈ માંડવીયાએ હકારાત્મક અભિગમ દાખવીને ભારત સરકાર દ્વારા શક્ય તેટલી તમામ મદદ કરવા માટે ખાતરી આપી સંબંધિત વિભાગના અધિકારીઓને ત્વરિત કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી. આ ઉપરાંત સિરામિક ઉદ્યોગને અસર કરતા કસ્ટમ તથા એક્સાઇઝ વિભાગના પ્રશ્નો અને ગ્રાઉન્ડ વોટર બોરવેલ બાબતે આવેલ નોટિસ અંગે પણ સિરામિક ઉદ્યોગને રાહત મળે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી.

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ખાતરી આપતા જણાવ્યું હતું કે સિરામિક ઉદ્યોગને અસર કરતા રજૂઆત કરાયેલ તમામ પ્રશ્નોનું શક્ય તેટલી વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે. આ તકે સાંસદ વિનોદભાઈ ચાવડા, મોહનભાઈ કુંડારીયા, રાજેશભાઈ ચુડાસમા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમ પ્રમુખ, મોરબી સિરામિક એસોસિએશને જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments