મોરબી : દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે મોરબીમાં ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ માટે નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી શ્રી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ ઉપક્રમે અને જ્ઞાતિ શુક્લજી શાસ્ત્રી વિપુલભાઈ પી. શુક્લના આચાર્ય પદે આજે શ્રાવણ સુદ પુનમ ને શનિવારે તારીખ 9 ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનના દિવસે સવારે મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ, બાલમંદિર સામે, વાંકાનેર દરવાજા બહાર, મોરબી ખાતે નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિનું આયોજન કરાયું હતું. જેમાં 125થી વધુ ભૂદેવોએ જનોઈ બદલી હતી અને શ્રાવણી પર્વની ઉજવણી કરી હતી.

