મોરબીની સોની બજારમાં અવાર નવાર રખડતા ખૂંટીયાના આતંક હોવાનું સામે આવ્યું છે, જેના કારણે વેપારીઓ અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખૂંટીયા બજારમાં ગમે ત્યારે ધસી આવે છે તેના કારણે બજારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ ખૂંટીયાનો આતંક એટલો વધી ગયો છે કે અનેક વખત વેપારીઓને પોતાની દુકાનો બંધ કરી દેવાની ફરજ પડી છે. પરિણામે, ધંધા-રોજગાર પર અસર પડી રહી છે. તેમજ રાહદારીઓને પણ તકલીફ પડે છે. તેથી આ સમસ્યાનું યોગ્ય સમાધાન લાવવા લોકમાંગ ઉઠી છે.











