મોરબી : પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં 70%થી પણ વધારે સીટ જીતીને પ્રચંડ બહુમતીથી મળેલ વિજયને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી. આ જીત એ આમ આદમી પાર્ટીની કામની રાજનીતિની જીત છે. પંજાબના લોકોએ કામની રાજનીતિ પર ભરોસો મૂકીને 4 વર્ષ દરમિયાન કરેલા આમ આદમી પાર્ટીના કામોને જોઈને પ્રચંડ જીત અપાવી હતી અને ખોટા વાયદાઓ કરેલ પાર્ટીઓને ઘરભેગી કરી હતી. આવી જ રીતે ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેવી કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા તથામહાનગરપાલિકાની ચૂંટણીઓમાં લોકો આમ આદમી પાર્ટીની કામની રાજનીતિને જ સ્વીકારશે જેનો અમને વિશ્વાસ છે.









