Saturday, February 14, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ઐતિહાસિક રફાળેશ્વર મહાદેવ ખાતે મહાશિવરાત્રીના લોકમેળાનો પ્રારંભ:ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે...

મોરબીના ઐતિહાસિક રફાળેશ્વર મહાદેવ ખાતે મહાશિવરાત્રીના લોકમેળાનો પ્રારંભ:ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે મેળાનું ઉદઘાટન

મોરબી: પવિત્ર મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મોરબી નજીક આવેલા પૌરાણિક રફાળેશ્વર મહાદેવ ખાતે આજથી બે દિવસીય પરંપરાગત લોકમેળાનો વિધિવત પ્રારંભ થયો છે. આ મેળાનું ઉદઘાટન ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને મોરબી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. રફાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ મેળામાં આ વર્ષે પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બે દિવસ સુધી ચાલનારા આ મેળામાં લોકો ભક્તિ અને મનોરંજનનો ત્રિવેણી સંગમ માણશે. વહેલી સવારથી જ શિવભક્તો અને મેળાના રસિયાઓની ભીડ જામશે તેવી શક્યતા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments