મોરબી : મોરબી જીલ્લાના એક દર્દી જેમની ઉમ્ર 55 વર્ષ છે જેમને બેભાન હાલતમાં આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉ. ઉત્તમ પેઢડીયા સાહેબ કે જે જનરલ ફીઝાશિયન તેમજ ક્રીટીકલ સ્પેશિયાલિસ્ટ છે. તેમને દર્દીની તપાસ કરતા તેમજ દર્દીના સગા ને દર્દીની જાણકારી પુછતા જણાયું કે તેમને એજ દિવસમાં ૩ થી 4 વખત મગજની આંચકી તેમજ મોઢામાંથી ફીણ નીકળી ગયેલ છે. તેમજ એક વર્ષ પેલા દર્દીને બીજા હોસ્પિટલમાં મગજમાં પાણી ભરાતા (Hydrocephalus ) તેમનું ઓપરેશન (V-P-Shunt) પણ કરાવેલ છે. પ્રાયમરી તેમજ ખેંચ (Convulsion) ની સારવાર ઈમરજન્સીમાં કરી. દર્દીને જરૂર રિપોર્ટ કે જેવા MRI ને એ કરાવી ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. દર્દીની આંચકીની સારવાર કરવા છતાં.બીજા દિવસે ભાન અવસ્થામાં ફેર ન પડવાથી દર્દીનો કમરના ભાગનું પાણી (CSF Study) ની તપાસ કરવાનું નક્કી કરયું તપાસ કરતા જણાયું કે તેમને જીવાણું (Bacterial Meningitis) નો ચેપ છે. કમરના પાણીમાં રિપોર્ટ મુજબ સારવારમાં ફેરફાર કરતા દર્દીને બેભાન અવસ્થા ધીમે, ધીમે સુધરવા લાગી આજે સરસ ભાનમાં તેમજ ચાલતા ફરતા છે. આથી દર્દીને હસતા મોએ આયુષ હોસ્પિટલમાંથી રજા કરવાની છે.











