Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વિનામૂલ્યે 15 હજાર તિરંગાનું વિતરણ કરતા સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના...

મોરબીમાં વિનામૂલ્યે 15 હજાર તિરંગાનું વિતરણ કરતા સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના અજય લોરીયા

મોરબી : “હર ઘર તિરંગા” અભિયાનને સાર્થક કરવા માટે મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના અજય લોરિયા દ્વારા વિનામૂલ્યે તિરંગા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. ઘણા વર્ષોથી વિનામૂલ્યે તિરંગાનું વિતરણ કરતા લોરિયાએ આજે 14 ઑગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ પૂર્વે 15,000 જેટલા રાષ્ટ્રધ્વજનું વિનામૂલ્યે વિતરણ કરવાનું આયોજન કર્યું છે.

મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે સવારથી સાંજ સુધી તિરંગાનું વિતરણ કરાશે. આ અભિયાનમાં સ્થાનિક અગ્રણીઓ પણ જોડાયા હતા. જેમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા,જતિનભાઈ ફૂલતરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સવારથી જ મોટી સંખ્યામાં લોકો તિરંગા મેળવીને આ રાષ્ટ્રભાવનાના ઉત્સવમાં જોડાઈ રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments