મોરબી: આવતીકાલે તા.24/08/2025 ને રવિવારના રોજ હરિહર ધામ ખોખરા હનુમાન બેલા ભરતનગર જિલ્લો મોરબી ખાતે નિઃ શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 પરમ પૂજ્ય કનકેશ્વરી દેવીજી અને રાજસ્થાન હોસ્પિટલ અમદાવાદના સહયોગથી કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં મોરબી, માળિયાના નેશનલ હાઈવે ઉપર આવેલા ગામોમાંથી વધુમાં વધુ લોકો આ કેમ્પનો લાભ લે તે માટે નવા બસ સ્ટેશનથી ખોખરા હનુમાન મંદિર અને માળિયા તાલુકા પંચાયતથી ખોખરા હનુમાન મંદિર જવા માટે સવારે ૭-૩૦,૮-૩૦ અને ૯-૩૦ કલાકે એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. મોરબી- માળિયા હાઈવે ઉપર આવેલ તમામ ગામના લોકોને આ સેવાનો લાભ લેવા માટે હરિહર ધામ ખોખરા હનુમાન મંદિર નિ: શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લેવા માટે જાહેર અપીલ કરવામાં આવે છે.











