કચ્છ-મોરબી લોકસભા ક્ષેત્રના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ગઈકાલે મોરબીમાં ચાલી રહેલા વિવિધ નવરાત્રી મહોત્સવોમાં પધારી માતાજીના દર્શનનો શ્રદ્ધાભેર લાભ લીધો હતો. તેમણે માતાજીની આરતી ઉતારી આરાધના કરી હતી.
વિનોદભાઈ ચાવડાએ મોરબીમાં અજય લોરિયા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સનાતન નવરાત્રી મહોત્સવ, માં નવરાત્રી મહોત્સવ, ઉમિયા નવરાત્રી મહોત્સવ તથા શ્રી ખોડિયાર માતાજી મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે વિવિધ નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડાનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમની સાથે મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ રીશીપભાઈ કૈલા, મોરબી શહેર ભાજપ મહામંત્રી ભૂપતભાઈ જારિયા, મોરબી શહેર યુવા ભાજપ પ્રમુખ જયદીપભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

















