મોરબી : આવતીકાલે તારીખ 2 ઓક્ટોબર ને વિજ્યા દશમીના અવસરે મહેન્દ્રનગરના મોક્ષધામ ખાતે પ્રાર્થના હોલના લોકાર્પણ વિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9 થી 10 કલાકે મહેન્દ્રનગરના મોક્ષધામ ખાતે નકલંગ મંદિર બગથળાના મહંત દામજી ભગત અને રામધન આશ્રમ મહેન્દ્રનગરના ભાવેશ્વરી બેનના હસ્તે પ્રાર્થના હોલનું લોકાર્પણ કરવામાં આવશે.
આ પ્રાર્થના હોલ દાતા હંસરાજભાઈ જેરામભાઈ કૈલા અને જીગ્નેશભાઈ હંસરાજભાઈ કૈલાના સહયોગથી નિર્માણ પામ્યો છે. લોકાર્પણ વિધિ પ્રસંગે સવારે 8 થી 9 કલાકે ગોપી મંડળ દ્વારા ધૂન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી છે.











