મધુપુર: શરદ પૂનમની ઉજવણીના ભાગરૂપે મેલડીધામ મધુપુર મંદિર ટ્રસ્ટ દ્વારા બહેનો અને દીકરીઓ માટે ભવ્ય રાસ-ગરબાના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન 06/10/2025ને સોમવારના રોજ રાત્રે 09:00 કલાકે મેલડીધામ મધુપુર ખાતે કરાયું છે.
ટ્રસ્ટના પ્રમુખ જયદેવસિંહ જાડેજા અને આશાપુરા ગ્રુપ દ્વારા બહેનો મન મૂકીને માતાજીના ગરબા રમવાનો આનંદ માણી શકે તે માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર તરીકે વિક્રમ લોજીસ્ટિક સ્વ. લગધીરસિંહ મનુભા તરફથી સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે.











