મોરબીમાં આવેલ નજરબાગ રેલવે સ્ટેશન પાસે રેલવેના પાટા પર તિરાડ પડેલી ધ્યાને આવતા રેલ્વે વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરી આ પાટા પર મટીરીયલ બદલી દેવામાં આવ્યું હતું.
મોરબીમાં મુખ્ય રેલ્વે સ્ટેશન અને નજરબાગ રેલવે સ્ટેશન એમ બે રેલવે સ્ટેશન આવેલા છે. આ બંને રેલ્વે સ્ટેશન પરથી મુખ્ય મોરબી વાંકાનેર વચ્ચે ચાલતી ડેમો ટ્રેન સહિત અન્ય ટ્રેન પસાર થાય છે. ગત ૦૯ નવેમ્બરના રોજ ૦૭:૩૦ આસપાસ નજરબાગ રેલવે સ્ટેશન પાસે આવેલ પાટામાં તિરાડ ધ્યાનમાં આવી હતી. જે બાબતે બ્યુટી પરના કીમેન દ્વારા તાત્કાલિક ધોરણે રેલવે તંત્રનો આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું. રેલવે દ્વારા બીજા દિવસે ૧૦ નવેમ્બરના રોજ આ પાટાનું મટીરીયલ બદલી દેવામાં આવ્યું હતું.










