મોરબી: શહેરની આયુષ હોસ્પિટલમાં હવે ન્યુરો સર્જરી વિભાગ (મગજ, મણકા અને કરોડરજ્જુનો વિભાગ) હેઠળ મગજ, કરોડરજ્જુ અને નસોને લગતી વિવિધ જટિલ બીમારીઓ માટે નિષ્ણાત સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે.
આયુષ હોસ્પિટલમાં મગજની ઈજાઓ, ગરદન અને કમરના દુઃખાવા, હાથ-પગની નસો દબાઈ જવી અથવા કમજોરી, કરોડરજ્જુની ગાંઠ અને ટીબી, મગજનું ટ્યુમર, મગજમાં પાણી ભરાવાની સમસ્યા, માઈગ્રેન, સ્ટ્રોક (પક્ષઘાત), ટ્રાઈજેમીનલ ન્યુરાલજીયા, મગજની નસ ફાટી જવી અથવા ફૂલી જવી (Aneurysm) સહિત મગજ અને કરોડરજ્જુ સંબંધિત વિવિધ રોગોની નિદાન અને સર્જરી સહિતની સારવાર કરવામાં આવે છે. હોસ્પિટલ દ્વારા દર્દીઓને આધુનિક સાધનો અને નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ ગુણવત્તાસભર સારવાર પૂરી પાડવામાં આવે છે. વધુ માહિતી અથવા સારવાર માટે આયુષ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી મો. 75750 88884 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.










